Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે જામનગર તાલુકાના નાના એવા ગામે એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઇનનો નિર્ણય લીધો છે, જામનગર રાજકોટ હાઇવે પર આવેલ મોટી બાણુંગાર ગામના લોકો આજ્થી સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાનાની ચેઈન તોડવાના પ્રયાસ કરશે, ગામના સરપંચ દીપકભાઈએ જણાવ્યું કે ગામમાં છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન 28 જેટલા કેસો નોંધાતા સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે, જામનગરના મોટી બાણુગાર ગામના સરપંચની આગેવાની હેઠળ વેપારીઓ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આજથી એટલે કે તારીખ 3 એપ્રિલથી 10 એપ્રિલ શનિવાર સુધી મોટી બાણુગારમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે તેની ચેઇન તોડવી આવશ્યક હોવાથી જામનગર નજીકના બાણુંગાર ગામમાં તેની પહેલ શરૂ થઇ છે. એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે, પણ દુધ માટેની ડેરી સવાર-સાંજ 2-2 કલાક સુધી ખુલ્લી રાખવામાં આવશે તથા લોટ માટેની ઘંટી પણ 4 દિવસ પછી શરૂ કરી દેવાશે. જેનાથી ગ્રામજનોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓમાં હાલાકીનો સામનો કરવો ન પડે. આ ઉપરાંત માસ્ક પણ ફરજિયાત બનાવાયા છે.